ભારતે વર્ષ 1983 માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. પછી તેને બીજો વર્લ્ડ કપ જીતવામાં 24 વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2007 માં દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડકપની પ્રથમ સિઝન રમાઈ ત્યારે આ જીત ભારતે પોતાના નામે કરી હતી. કપિલ દેવના નેતૃત્વમાં ભારતે વનડેમાં પ્રથમ વર્લ્ડકપ જીત્યો હતો. જ્યારે એમએસ ધોનીના નેતૃત્વમાં બીજો વર્લ્ડકપ જીત્યા હતા. પ્રથમ T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. જેમાં ભારતે 24 સપ્ટેમ્બર 2007 ના રોજ રમાયેલી ફાઇનલમાં રોમાંચક રીતે પોતાના, કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 રને હરાવ્યુ હતુ. ભારતની આ ફાઇનલ મેચમાં ઘણા ખેલાડીઓ હિરો હતા અને પ્રથમ T20 ચેમ્પિયન બન્યા હતા. તે હિરોએ ત્યાર બાદ ઘણી પ્રશંસા લૂંટી હતી. તેમાંથી કેટલાક હજુ પણ ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરે છે, પરંતુ કેટલાક માત્ર યાદો બનીને રહી ગયા છે. તેઓનો વારંવાર ઉલ્લેખ થાય છે. 24 તારીખે ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યા બાદ ગૂમનામીમાં ક્યાંક ખોવાઈ ગયેલા ખેલાડીઓની લાંબી યાદી છે.
1. રોબિન ઉથપ્પા – ગજબનુ ટેલેન્ટ. ક્રિકેટના બોલનો હાર્ડ હિટર બેટ્સમેન. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યાંય નામ નથી. ટીમ ઈન્ડિયા સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી રહ્યો. હા, હવે જો લોકો ઉથપ્પાને થોડું ઘણું ઓળખે છે, તો આઈપીએલમાં તેની સ્ટાઈલને કારણે. ઉથપ્પા હાલમાં IPL માં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ છે. 2007 T20 વર્લ્ડ કપમાં રોબિન ઉથપ્પા ભારતનો 5 મો સૌથી સફળ બેટ્સમેન હતો. તેણે 7 મેચમાં 113 રન બનાવ્યા હતા. ભલે ઉથપ્પા પાકિસ્તાન સામેની ફાઇનલમાં માત્ર 8 રનમાં આઉટ થયો હતો. પરંતુ જ્યારે ગ્રુપ સ્ટેજ પર ભારતે પાકિસ્તાનનો સામનો કર્યો અને મેચનું પરિણામ બોલ આઉટ કરીને બહાર આવ્યું. ત્યારે તેમાં ઉથપ્પાની ભૂમિકા મહત્વની હતી. તે સહેવાગ, હરભજન સાથે પિચ પર બોલને ફટકારનારા ખેલાડીઓમાં હતો.

2. જોગીન્દર શર્મા- 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલની છેલ્લી ઓવર હતી. પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. અને મિસ્બાહ ઉલ હક સ્ટ્રાઇક પર હતો. આવી સ્થિતિમાં જ્યારે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જોગીન્દર શર્માને ઓવર સોંપી ત્યારે બધાને લાગ્યું કે મેચ હાથમાંથી નીકળી ગઈ છે. આ પછી જ્યારે બીજા બોલ પર સિક્સર ફટકારવામાં આવી. ત્યારે લાગ્યું કે ધોનીએ જોગીન્દર શર્માને ઓવર આપીને ખરેખર ભૂલ કરી છે. પરંતુ, પછીની કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. જોગીન્દર શર્મા ધોનીના વિશ્વાસ પર ખરો ઉતર્યો. મિસ્બાહ તેના ત્રીજા બોલને ફટકારવાતા શોર્ટ ફાઇન લેગ પર કેચ થયો હતો. ભારતને તે વિકેટ મળી. એ સાથે જ T20 વર્લ્ડ કપની પ્રથમ ચેમ્પિયન ટીમ ઇન્ડીયા બની હતી. ભારતને ચેમ્પિયન બનાવનાર બોલર જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે ફરજ બજાવે છે.

3. શ્રીસંત-જોગિન્દર શર્માએ તે બોલ ફેંક્યો હતો જેના પર મિસ્બાહે સ્કૂપ જડ્યો હતો. પરંતુ જે ખેલાડીએ મિસબાહનો ઐતિહાસિક કેચ લીધો તે શ્રીસંત હતો. આ રીતે, કેરળના આ ફાસ્ટ બોલરનું નામ પણ ભારતને ચેમ્પિયન બનાવવા માટેની અંતિમ સ્ક્રિપ્ટ લખવામાં સામેલ હતું. જેણે તે સમગ્ર ટુર્નામેન્ટમાં રમાયેલી 7 મેચમાં 6 વિકેટ લીધી હતી. આ પછી, શ્રીસંત 2011 માં રમાયેલા વનડે વર્લ્ડ કપ નો પણ ભાગ હતો. પરંતુ 2013 માં IPL માં સ્પોટ ફિક્સિંગ કેસમાં ફસાયા બાદ તે ધીમે ધીમે ગૂમનામીના અંધકારમાં ડૂબતો ગયો.