કાનૂની મુશ્કેલીમાં ફસાયા પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ, જાણો શું છે મામલો?

ઈન્ડિયન આઈડલ 12ના સમયથી લોકો પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલની જોડીને પસંદ કરે છે. આ શો દરમિયાન બંનેના અફેરના સમાચાર પણ ઘણા વહેતા થયા હતા. બંનેએ એકસાથે ઘણા ગીતો શૂટ કર્યા છે અને તેમના ચાહકો બંનેને સાથે જોવાનું પસંદ કરે છે.



સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’ના વિજેતા પવનદીપ રાજન અને ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળે છે. ટીઓઆઇના એક અહેવાલ મુજબ, અરુણિતા અને પવનદીપ પર ઓક્ટોપસ એન્ટરટેઈનમેન્ટ કંપની સાથે મ્યુઝિક આલ્બમનું શૂટિંગ અને પ્રમોશન કરવાનો ઇનકાર કરવાનો આરોપ છે. અહેવાલ અનુસાર, પવનદીપ અને અરુણિતાને મળેલી કાનૂની નોટિસમાં જણાવાયું છે કે ઓક્ટોપસ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA)નો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે સોની પિકચર નેટવર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ પવનદીપ અને અરુણિતાની સેવાઓ પૂરી પાડવા માટે તેમની સાથે કરાર કર્યો હતો.

પ્રતિબદ્ધતા હોવા છતાં અસહકારનો આક્ષેપ



ઓક્ટોપસ કંપનીનું કહેવું છે કે તેમના લોકોએ 20 રોમેન્ટિક ગીતો માટે ઈન્ડિયન આઈડલ 21ના વિજેતાને સાઈન કર્યા હતા. પવનદીપ અને અરુણિતાના સંબંધમાં ઓક્ટોપસ એન્ટરટેઈનમેન્ટના સોની પિક્ચર્સ સાથેના કરાર મુજબ, સોનીએ બંને કલાકારોની સેવાઓ પૂરી પાડવા સંમતિ આપી છે. ઈન્ડિયન આઈડોલના વિજેતા બનતા પહેલા આ પ્રતિબદ્ધતા આપવામાં આવી હતી. કંપનીના લોકોએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા પૈસા ખર્ચીને આલ્બમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ગીત શૂટ કર્યા બાદ કલાકારોએ પ્રોડ્યુસરને સહકાર આપ્યો ન હતો.



અહેવાલ મુજબ, પહેલા અરુણિતા અને પછી પવનદીપે સોનીની પ્રતિબદ્ધતા હોવા છતાં નિર્માતાને શૂટિંગમાં સહકાર આપવાનું બંધ કર્યું અને પછી ગીતના રિલીઝ અને પ્રમોશનમાં સહકાર ન આપ્યો. જ્યારે સોનીને જાણ કરવામાં આવી ત્યારે પણ તેઓએ કોઈ પગલાં લીધા નહીં, પરંતુ કલાકારોને ટેકો આપ્યો. તે જ સમયે, જ્યારે IMPPAએ સોનીને તેમનો જવાબ પૂછ્યો, તો તેઓએ એમ કહીને એમ કરવાનો ઇનકાર કર્યો કે સોનીની આ ચોક્કસ કંપની IMPPAની સભ્ય નથી.



તેણે કહ્યું કે તેની સોની કંપની માત્ર ફિલ્મો, વેબ સિરીઝ તેમજ સિરિયલોની બાબતો માટે નિર્માતા સભ્યો સાથે કામ કરે છે. સોનીનો જવાબ મળ્યા પછી, IMPPAએ તેને ખાતરી કરવા વિનંતી કરી કે નિર્માતાઓ અને કલાકારો સાથે કોઈ અન્યાય ન થાય. તેણે આપેલી પ્રતિબદ્ધતાનું પાલન કરવું જોઈએ.