ઘણા લોકોને ઘરમાં વૃક્ષો વાવવાનો શોખ હોય છે. વાસ્તુ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને ઘરના આંગણામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમનામાં દૈવી શક્તિ હોય છે, જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. તમે પણ તમારા ઘરમાં ઘણા છોડ લગાવ્યા હશે અને જોયા જ હશે. પરંતુ આજે અમે તમને એવા જ એક ખાસ છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને લગાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.
લક્ષ્મણના છોડથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી
‘લક્ષ્મણ’ એક એવો છોડ છે જેને ઘરમાં લગાવવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે. તેનું કારણ એ છે કે ધનની દેવી લક્ષ્મી આ છોડથી ખૂબ જ પ્રસન્ન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, લક્ષ્મણનો છોડ અને ઘનની દેવી માતા લક્ષ્મી વચ્ચે વિશેષ સંબંધ છે. તેને ઘરમાં લગાવવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહે છે. ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી.
દૂર કરે છે નકારાત્મક ઊર્જા
લક્ષ્મણનો છોડ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્તર વધે છે. જેમ કે તમે બધા જાણો છો કે જે ઘરમાં સકારાત્મક ઉર્જા વધુ હોય છે, ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં તેનાથી માત્ર ઘરમાં બરકત જ નથી રહેતી, પરંતુ અન્ય દુ:ખ અને પીડાઓ પણ દૂર થઈ જાય છે. નકારાત્મક ઉર્જાનો નાશ થવાથી ઘરમાં બીમારીઓ પણ આવતી નથી. દુષ્ટ શક્તિઓ પણ દૂર રહે છે.
આવો હોય છે લક્ષ્મણ છોડ
લક્ષ્મણનો છોડ વેલાની પ્રજાતિનો છે. તેના પાન સોપારી કે પીપળાના પાન જેવા હોય છે. આયુર્વેદમાં આ છોડનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કેટલાક લોકો તેને ‘લક્ષ્મણ બૂટી’ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ પૈસાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેને લગાવવાથી કોઈ આર્થિક સમસ્યા નથી આવતી. ઘરના સભ્યોની આવકમાં વધારો થાય છે. ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે. ઝઘડા પણ ઓછા થઈ જાય છે.
આ દિશામાં લક્ષ્મણનો છોડ વાવો
લક્ષ્મણનો છોડ ઘરની પૂર્વ કે પૂર્વ-ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. ઉત્તર દિશાને ધનનું સૂચક માનવામાં આવે છે. આ દિશામાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે. તેથી આ દિશામાં લક્ષ્મણનો છોડ લગાવવાથી ઘરમાં ધન આવવાનું બંધ થતું નથી અને કોઈ વ્યર્થ પૈસા ખર્ચવામાં આવતા નથી. પૈસા કમાવવાની નવી તકો મળે છે. અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બંને છે.