સાંજે એક મુઠી પલાળીને સવારે નરણાં કોઠે પી લેવું તેનું પાણી, અનેક રોગો રહેશે દૂર…

આપણે દરરોજ ભોજનમાં કોથમીરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે શરીરમાં પાચનથી લઈને હ્રદય તેમજ આંખો, લીવર અને લોહીં માટે ઉપયોગી છે. પરંતુ આ કોથમીરના બીજ તેનાથી પણ વધુ ફાયદાકારક હોય છે. જેનો મસાલાઓમાં પણ ઉપયોગ થાય છે. આ આખા ધાણા એક ગુણકારી ઔષધ છે. જે અનેક રોગોથી બચાવે છે તેમજ ગંભીર રોગોમાં રામબાણ ઔષધનું કામ કરે છે.

ધાણા અનેક રોગોમાં ખુબ જ ઉપયોગી છે. આખા ધાણાને જીરા સાથે ઉપયોગ કરવામાં આવે છે જે પાચન માટે ઉપયોગી છે. ધાણા પણ સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક છે. ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે અનેક બીમારી સામે રક્ષણ આપે છે.



ધાણાનું પાણી કરીને પીવાથી પણ સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે. જેમાં રહેલા તત્વોને લીધે તે લીવર અને હાર્ટ માટે ઉપયોગી છે તેમજ ટાઈફોડ જેવા તાવને પણ મટાડે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી તે અનેક નાના મોટા રોગો સામે રક્ષણ આપે છે. આ ધાણા એન્ટીઑક્સીડન્ટ ગુણ ધરાવતા હોય છે.

ધાણાનાં ફાયદાઓની વાત કરીએ તો તેમાં આયર્ન હોય છે, એટલે કે તે શરીરમાં લોહીના નિર્માણમાં ઉપયોગી છે. તેમાં વિટામીન સી અને ફોલિક એસીડ છે. જેથી લોહી વધારવામાં ઉપયોગી છે. લીવરની સફાઈ માટે ઉપયોગી છે. જે લીવરને યુવાન રાખે છે. લીવરને સાફ કરે છે. જે હ્ર્દયને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે. કોલેસ્ટ્રોલને ઘટાડે છે. લોહીમાં રહેલા સુગરના પ્રમાણને ઘટાડે છે જેના લીધે ડાયાબીટીસ નાં દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.



ધાણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગીં છે. જેનો સવારે નરણા કોઠે ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આ પાણી બનાવવા માટે આ ધાણાને 2 કપ પાણીમાં પલાળી રાખવા. આ પછી સવારે આ પાણીને ઉકાળી લેવું. જયારે પાણી ઉકાળતા તેમાંથી અડધુ પાણી વધે ત્યારે તેનું સેવન કરવું. આ સેવન કર્યા પછી થોડા સમય સુધી બીજી કોઈ વસ્તુનું સેવન કરવું નહીં. આમ કરવાથી અનેક રોગો રહેશે દૂર.