બિહારમાં જુમઈમાં સવાર સવારમાં ભીષણ રસ્તા પર અકસ્માત થયો જેમાં ૬ લોકોનું મૃત્યુ થઇ ગયું અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. રોડ એકસીડન્ટમાં માર્યા ગયા લોકો બોલીવુડ દુનિયાના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સગા જણાવાઈ રહ્યા છે. ઘાયલોની ગંભીર સ્થિતિને પટના રેફર કરી દેવામાં આયુ છે. મૃતકોના પોસ્ટમોર્ટમ માટે લખીસરાય સદર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
રિપોર્ટનું માનીએ તો આ દિલ દ્રવી ઉઠી એવી ઘટના લખીસરાયના હલસી વિસ્તારમાં શેખપુરા સિકંદરા રોડ પર થઇ છે. કહેવાઈ રહ્યું છે કે સવારે ૬ વાગ્યે લગભગ આખો પરિવાર જુમઈ જીલ્લાના ખૈરા થાના ક્ષેત્રના પોતાના ગામ શ્રાદ્ધ કર્મ પાછા ફરી રહ્યા હતા. પરંતુ વચમાં તેઓ અકસ્માતના શિકાર થઇ ગયા.
મળેલી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલ લોકોમાંથી એક હરિયાણામાં એડીસીપીના પદ પર તૈનાત સુશાંત સિંહ રાજપૂત સુશાંત સિંહના બહેનોઈના બહેનોઈ હતા. એડીજીપીના બહેનોઈ સિવાય બે ભાણિયા અને બે અન્ય સગા જણાવાઈ રહ્યા છે.

રિપોર્ટનું માનીએ તો લાલજીત સિંહની પત્ની એટલે કે ઓપી સિંહની બહેન ગીતા દેવીનું પટનામાં નિધન થઇ ગયું હતું. ઓપી સિંહ, સુશાંત સિંહના બહેનોઈ હતા. દાહ સંસ્કાર પછી બેવાહનો પરિવારના ૧૦ લોકો પોતાના ગામ સક્દાહા ભંડરા પાછા ફરી રહ્યા હતા. એમાં ટ્રક અને સુમોની ટક્કરમાં ગાડીના ભુક્કા બોલી ગયા.
ટ્રક સુમોની ભીડ એટલી જોરદાર હતી કે એમાં બેઠેલા ૬ લોકોનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું અને ૪ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા, જેને ઈમરજન્સીમાં ઈલાજ માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા.
મૃતકોમાં હરિયાણા એડીજીપીના બહેનોઈ લાલજીત સિંહ, ભગીના નેમાની સિંહ ઉર્ફે અમિત શંકર, બેબી દેવી, અનીતા દેવી, રામચંદ્ર સિંહ અને ડ્રાઈવર ચેતન કુમાર શામેલ છે. ખબરો અનુસાર, ડ્રાઈવર ખૈરા થાના ક્ષેત્રના સોનપે ગામના નિવાસી હતા. વાલ્મીકી સિંહ અને પ્રસાદ કુમાર નામના બે વ્યક્તિની હાલત ગંભીર જણાવાઈ રહી છે અને એમને ઈલાજ માટે પટના રેફર કરી દેવામાં આવ્યા છે.

ઘટના સ્થળે રહેલ લોકોએ પોલીસને સુચના આપી દીધી હતી, એ પછી પોલીસે કહ્યું કે મૃતકો અને ઘાયલોને ઓળખીને પરિવારને સૂચના આપી દીધી છે. તો લખીસરાયના એસપી સુશીલ કુમારે જણાવ્યું કે ,’હલસી થાના ક્ષેત્રના પીપરા ગામના ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલયની પાસેની ઘટના છે. NH-૩૩૩ પર મંગળવાર ની સવારે ટ્રક અને સૂમો ગોલ્ડ વાહનની જોરદાર ટક્કરમાં તાતા સૂમોમાં બેઠેલા ૧૦ માં થી ૬ નું ત્યાને ત્યાં જ મૃત્યુ થઇ ગયું.